રાયબરેલીમાં શનિવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ રેલીને સંબોધન કરવામાં માટે પહોંચ્યા હતા. રેલીમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી ગઈ હતી.આગ લાગવા કારણે ભાગદોડ મચી ગઈ હતી. આગના કારણે પુરા પંડાલમાં ધુમાડો ધુમાડો થઇ હતો. ભાજપના કાર્યકર્તાઓએ ખુરશીઓમાં તોડફોડ કરી અને પ્રશાસન વિરૃદ્ધ ગુસ્સો ઉતાર્યો હતો. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે થોડીક જ ક્ષણોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આ આગના બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
અમિત શાહ શનિવાર બપોરે 1:30 વાગે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતું અને નેહરુ પરિવારનું ઘર બની ચૂકેલ રાયબરેલીમાં અમિત શાહ રેલીને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ભાપના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેય સહિત ભાજપના ઘણા બધા નેતાઓ મંચ પર હાજર હતા.