પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજનાની પ્રશંશા કરતા રમજાનના પવિત્ર મહિનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે મહિલાઓને એલપીજી કનેક્શન મળવાથી ખાસ કરીને રમજાનના મહિનામાં ખાવાનું બનાવવામાં સરળતા થઇ છે. જેથી બીજા કર્યો કરવા માટે સમય મળી રહે છે.
પ્રધાનમંત્રીએ પોતાની મહત્વાકાંશી ઉજ્જવલા યોજનાની પ્રશંશા કરતા જણાવ્યું હતું કે મને આ યોજનાની પ્રેરણા મુનશી પ્રેમચંદની વાર્તા ઇદગામાં ચીપીયો લાવવાવાળા હામીદથી મળી હતી. તેમને જણાવ્યું હતું કે દેશમાં એલપીજી ગેસની શરૂઆત આજાદી પછી થઇ ગઈ હતી પરંતુ ૨૦૧૪ સુધી ૧૩ કરોડ પરિવારો સુધી એલપીજી કનેક્શન પહોંચ્યું હતું.
તેમને જણાવ્યું હતું કે,
“ગત ચાર વર્ષમાં અમારી સરકારે ૧૦ કરોડ નવા કનેક્શન લગાવી અપાવ્યા છે. જેટલું કામ ૬૦-૭૦ વર્ષમાં નથી થયું એટલું કામ ગત ચાર વર્ષોમાં થયું છે.”
પ્રેમચંદની વાર્તા ઇદગાહમાં કહેવામાં આવ્યું હતું છે કે, હામીદ નામનો છોકરો માએ મેળામાંથી ખાવાનું લેવા માટે લાવવાનું કહ્યું હતું ત્યારે તે તેન મા માટે ચીપીયો લાવ્યો હતો. હતું એમ કે, તે રોજ પોતાની માને તપતી આગમાં રોટલી બનાવવામાં ક્યારેક હાથ બળી જતો હતો.
તેમને પવિત્ર મહિનો રમજાનની વાત કરતા જણાવ્યું હતું કે, “
એલપીજી કનેક્શન મળ્યા બાદ ખાસ કરીબને રમજાન મહિનામાં ખાવાનું બનાવવામાં સરળતા મળી છે. કારણ કે વધારાનો સમય હવે બચી જાય છે. તેના બદલામાં તે સમય બીજા કામમાં મદદ આવી જાય છે.”
મોદીએ વિડીઓ કોન્ફરેન્સ મારફતે જમ્મુ કાશ્મીરના અનંતનાગની મુસ્લિમ મહિલાઓ સાથે વાત કરી રહ્યા હતા. આ યોજનાની લાભાર્થી મહિલાઓ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજનાના કારણે વનો કપાવાના બંધ થયા છે. સ્વચ્છ ઇંધણ સ્વચ્છ ભારત, ગ્રામીણની ગરીબ માહીલાઓનું સશક્તિકરણ થયું છે. તેમને જણાવ્યું હતું કે આ વાત એવી મહિલા વધારે સમજી શકે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન ચુલ્હાનો ધુમાડો ખાતા-ખાતા પોતાનું જીવન ગુજાર્યું છે.
તેમને જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજનાની મારફતે પછાત વર્ગને, આદિવાસીને અને દલીતને વધારે લાભ મળ્યો છે.