મુંબઈ
અભિનેતા અભિષેક બચ્ચન અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ‘મનમર્જિયાં’ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝ ડેટ આ પહેલા પણ પાછળ ધકેલાઈ હતી. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે ફિલ્મ નક્કી થયેલ તારીખ કરતા એક સપ્તાહ પહેલા રીલીઝ કરવામાં આવશે.
આપને જનાચી દઈએ કે, ફિલ્મ 21 સપ્ટેમ્બરે રિલીઝ નહીં થાય. ફિલ્મ 14 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ પહેલા ફિલ્મની રિલીઝ ડેટને 7 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. આ એક લવસ્ટોરી છે જે પંજાબની પૃષ્ઠભૂમિ પર આધારીત છે.
ફિલ્મના કલાકારોએ શુટિંગ પૂર્ણ કરી લીધુ છે અને ફિલ્મ માટે નવી રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે, પરંતુ 14 સપ્ટેમ્બરે રિલીઝ થવા પર ફિલ્મે બોક્સ ઓફિસ પર શાહિદ કપુર, શ્રદ્ધા કપુરની ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ સાથે ટકરાવાની શક્યતા સમાપ્ત થઈ ગઈ છે.