મુંબઈના પાલઘરના બે માછીમારો ચોમાસાની સીઝન બાદ પહેલીવાર માછીમારી કરવા ગયા અને તેમને જે માછલી મળી તેના કારણે તેમણે લાખોની કમાણી કરી લીધી છે.
![પહેલીવાર માછીમારી કરી અને 1 માછલીએ કમાણી કરાવી 5 લાખ 3 2 1533706414 e1533911666376 પહેલીવાર માછીમારી કરી અને 1 માછલીએ કમાણી કરાવી 5 લાખ](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/08/2_1533706414-e1533911666376.jpg)
ચોમાસામાં દરિયો ખેડવા પર પ્રતિબંધ હતો પરંતુ 1 ઓગસ્ટથી માછીમારો ને દરિયામાં જવાની પરવાનગી મળ્યા બાદ પાલઘર બંદરથી રવાના થયેલા બે માછીમારોને ઘોલ માછલી પહેલીવારમાં જ મળી જતાં તેમની સીઝનની પહેલી કમાણી લાખોમાં થઈ ગઈ છે. જી હાં આ માછલી ખૂબ ઉપયોગી હોવાથી તે કિંમતી ગણાય છે. ભારત બહારના દેશમાં પણ તેની ખૂબ માંગ છે. પાલઘરના બંદર ખાતે આ માછલીની ખરીદી કરવા માટે લોકોએ બોલી લગાવી હતી અને તેમાં એક માછલીની 5.50 લાખની કિંમત આપનારને આ માછલી વેંચવામાં આવી છે.