વડોદરા,
પેટ્રોલ ડીઝલના વધતા ભાવને કારણે કોંગ્રેસ તરફથી આપવામાં આવેલા ભારત બંધના એલાનને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર ચક્કાજામ કરવામાં આવ્યો. કોંગ્રેસનાં કાર્યકરોએ ચક્કાજામનો પ્રયાસ કર્યો. એક્સપ્રેસ વે પર ટાયરો સળગાવ્યા હતા..ત્યારે પોલીસે 4 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.
તો બીજી બાજુ કોંગ્રેસના ભારત બંધ દરમિયાન વડોદરાના માંજલપુર વિસ્તારમાં એસટી બસ પર પથ્થર મારો થતા માહોલ ગરમાયો હતો. માંજલપુરમાં બંધે હિંસક સ્વરૂપ લેતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બંધમાં પથ્થર મારો થતા વાહન ચાલકોમાં ભયના માહોલ ફેલાયો હતો જેન કારણે સમગ્ર વિસ્તારમાં વાહન વ્યવહાર થંભી ગયો હતો.