દહેગામ,
દહેગામના ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં બે લોકો મોતને ભેટયા. ત્યારે બસ સ્ટેન્ડ સાથે રીક્ષા અથડાતા કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રીક્ષા નં જીજે – ૩૧ ટી ૦૭૮૫ ચિસકારી ચોકડીની બાજુમાં આવેલા ભાથીજીની મુવાડી ગામના રહીશની હતી. રીક્ષા ચાલક પોતાના ઘરે આવેલા મહેમાનોને લઈને ભાથીજીની મુવાડીથી ચિસકારી બાજુ જતો હતો.
રીક્ષામાં કુલ ચાર જણા બેઠા હતા ત્યારે રીક્ષા પહેલાં ચિસકારી નજીક એક ફેક્ટરીના દરવાજે અથડાઈ હતી. ગભરાઈ ગયેલા રીક્ષા ચાલક ત્યાંથી ભાગ્યો હતો અને પૂર ઝડપમાં જતાં ચિસકારી ચોકડી નજીક આવેલા બસ સ્ટેન્ડ પર રીક્ષા અથડાઈ હતી અને મેઈન હાઈવે પર પછડાઈ હતી. આ સમયે રીક્ષામાં ચાર ઈસમ હતાં.
પાછળથી ટેમ્પો ટ્રેક્સ નં-જીજે ૦૫ ઝેડ ૦૫૪૪ અને આઈટેન ગ્રાન્ડ કાર જીજે -૦૧ આરવાય ૭૫૮૮ આવી રહ્યા હતા. રીક્ષા અચાનક જ રોડ પર પટકાતા આ બંને વાહનો ધડાકાભેર તેની સાથે અથડાયા હતા. અકસ્માતના પગલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતુ. લોકોએ રીક્ષા નીચે દટાયેલાઓને બહાર કાઢ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું સ્થળ પર મોત થયુ હતું અને દહેગામ હોસ્પિટલમાં અન્ય વ્યક્તિએ જીવ છોડ્યો હતો.
અકસ્માતની જાણ થતાં બહિયલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.આર. રાઠોડે સ્થળ પર પહોંચી પંચનામું કર્યું હતું અને અમદાવાદ સિવિલમાં ઘાયલોના નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતકોમાં વિશાલકુમાર રમણજી વાઘેલા (ઉ.વ.૨૧, ભાથીજીની મુવાડી, મૂળ રહે. અલુવા, ધનસુરા) અને દશરથજી બુધાજી પરમાર (ઉ.વ. ૩૫, ભાથીજીની મુવાડી)નો સમાવેશ થાય છે. ગંભીર રીતે ઘવાયેલા અન્ય એકને અમદાવાદ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમૃત દેસાઈ દહેગામ.
અકસ્માતની જાણ થતાં બહિયલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.આર. રાઠોડે સ્થળ પર પહોંચી પંચનામું કર્યું હતું અને અમદાવાદ સિવિલમાં ઘાયલોના નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી