મુંબઈ
Amazon India એ તહેવારોની સીઝન પહેલા પોતાના નેટવર્કમાં ૫૦ હજાર અસ્થાયી જગ્યાની ભરતીની જાહેરાત કરી છે.
ઓનલાઈન ખરીદી માટેનું પ્લેટફોર્મ એટલે કે એમેઝોને આ જાહેરાત પોતાના હરીફ Flipkartને ટક્કર આપવા માટે કરી છે.
તહેવારોની સીઝન અને સ્પર્ધાને ધ્યાનમાં રાખીને એમેઝોને પોતાના સ્ટાફને ડબલ કરવાની જાહેરાત કરી છે.
તો બીજી તરફ Flipkart એ પણ ૩૦ હજાર અસ્થાયી ભારતી માટે જાહેરાત કરી છે.
Flipkart ના સીઈઓ કલ્યાણ કૃષ્ણામૂર્તિના કહેવા પ્રમાણે લોકોને ખરીદીમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે તેમણે અસ્થાયી જગ્યાની નોકરીની નિમણુક કરી છે.