ગુજરાત,
રાજસ્થાનમાં પ્રવર્તમાન જીવલેણ ઝીકા વાયરસના રોગે ગુજરાતમાં પણ પ્રવેશ કર્યો છે ત્યારે રાજસ્થાનને અડીને આવેલા અરવલ્લી જિલ્લામાં તંત્રની બેદરકારી સામે આવી છે.
રાજસ્થાનથી ગુજરાતમાં આવતા લોકોને ચેકિંગ વગર પ્રવેશ આપવામાં આવે છે. તંત્રએ માત્ર જાગૃતિના પોસ્ટર મારી સંતોષ માન્યો છે. ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના સાગવાળા બાંસવાળા પીઠ સીમાલવાળા ગાલિયકોટ ડુંગરપૂર તરફના રોજના 5 સો થી વધુ અલગ અલગ રોગના દર્દીઓ સારવાર અર્થે મોડાસા આવે છે.
સારવાર કરી પરત ફરે છે. તાજેતરમાં ઝીકા વાયરસે માથુ ઉચક્યુ છે ત્યારે રાજસ્થાનમાંથી આવતા દર્દીઓની તપાસ ગુજરાતમાં ઝીકા વાયરસના પગપેસારો થતો અટકાવી શકે છે. તંત્ર દ્વારા સતર્કતાના પગલા ક્યારે ભરવામાં આવશે તે જોવુ રહ્યુ.