વારાણસી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકોને એક ખાસ ભેટ આપવા જઈ રહ્યા છે. ૧૨ નવેમ્બરથી પ્રથમવાર કોઈ માલવાહક જહાજ ગંગા નદીના રસ્તે વારાણસી પહોચશે.
જો કે આ અવસર એટલા માટે ખાસ છે, કારણ કે ૧૯૪૭માં મળેલી આઝાદી બાદ પહેલીવાર માલવાહક જહાજ આંતરદેર્શીય જળમાર્ગ દ્વારા માલની હેરફેર કરતા વારાણસી પહોચશે અને આ સાથે જ પીએમ મોદી કાશીમાં બનેલા બહુપક્ષીય ટર્મિનલને રાષ્ટ્રને સમર્પિત કરશે.

હકીકતમાં, ૧૨ નવેમ્બરથી પ્રથમવાર રાષ્ટ્રીય જળમાર્ગ-૧ એટલે કે વારાણસી-હલ્દિયા જળમાર્ગથી કલકત્તાથી ચાલેલું જહાજ રવીન્દ્રનાથ ટાગોર ખાદ્ય પદાર્થ તેમજ સ્નેક્સ સાથે ભરેલા ૧૬ કન્ટેનર સાથે વારાણસી પહોચશે.
This should have been the biggest news of the week in India. For the first time since independence, a container is moving on inland vessel. PepsiCo is moving 16 containers from Kolkata to Varanasi on vessel MV RN Tagore, over river Ganga. Such a huge accomplishment!#SagarMala
— Nitin Gadkari (@nitin_gadkari) November 3, 2018
મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, “ભારતમાં આ સપ્તાહની સૌથી મોટી ખબર હોવી જોઈએ. આઝાદી બાદ આ પહેલીવાર છે જયારે આંતરદેર્શીય જળમાર્ગ પર કોઈ જહાજ ચાલી રહ્યું છે”.
https://t.co/v56iKbJtYX Sri @narendramodi ji to recieve the container vessel traveled for the first time on Inland waterways NW1 Ganga at Varanasi on 12th Nov at newly developed Multimodel Terminal and shall dedicate the terminal to nation. pic.twitter.com/80TyY7iaqL
— Nitin Gadkari (@nitin_gadkari) November 3, 2018
તેઓએ વધુમાં જણાવ્યું, “પીએમ મોદી કોઈ આંતરદેર્શીય જળમાર્ગ પાર સફર કરનારા પ્રથમ જહાજને રાષ્ટ્રીય જળમાર્ગ-૧ વારાણસીના ગંગા ઘાટ પાર બનેલા બહુપક્ષીય ટર્મિનલને ૧૨ નવેમ્બરના રોજ રિસીવ કરશે અને આ ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કરશે.
