મધ્ય પ્રદેશમાં સતના જીલ્લાના મુખ્યાલયથી આશરે ૪૦ કિલોમીટર દૂર એક ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માત સાત સ્કુલના બાળકો સહિત ૮ લોકોના મૃત્યુ થયા છે.
અકસ્માત સ્કુલ વૅન અને બસની વચ્ચે થયો હતો. સ્કુલ વેનના ડ્રાઈવર સહિત ૮ લોકો મોતને ભેટ્યા છે.
પોલીસ અધિકારી સંતોષ સિંહે જણાવ્યું હતું કે બીરસિંહપુરમાં થયેલ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે જયારે બીજા ૯ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ અકસ્માત આશરે સાડા દસ વાગ્યે થયો હતો. મૃતક ૭ બાળકો લકી કાવેન્ટ સ્કુલના હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ આવી પહોચી હતી.
પોલીસ અધિકારી સહિત કલેકટર રાહુલ જૈન સહિત બીજા સરકારી અધિકારી પણ ઘટનાસ્થળે પહોચી ગયા હતા.