અમરેલી,
અમરેલીમાં જનસંઘની બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં પાયાના કાર્યકરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાજપને અમરેલી બેઠક પર જીત મળે તે અંગે ચર્ચા કરાઇ હતી.
આ બેઠકમાં જનસંઘના જુના જુગીઓએ પણ લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે, કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણીના ગઢમાં કોંગ્રેસને ભાજપ ટક્કર આપવાની તૈયારીઓ જૂનાજોગીઓએ શરુ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં ભાજપના પૂર્વ કાયદામંત્રી અને સહકાર ક્ષેત્રના આગેવાન દિલીપ સંઘાણી તેમજ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા હાજર રહ્યા હતા…