Not Set/ અ’વાદથી ઉદેપુર મીટરગેજ રેલ્વે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર, માર્ચ ૨૦૧૯માં શરુ થશે અ’વાદ-હિમતનગર રેલવે

સાબરકાંઠા, અમદાવાદથી ઉદેપુર મીટરગેજ રેલ્વે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતરણ થઇ રહ્યું  છે, ત્યારે સાબરકાંઠા જીલ્લામાં મીટરગેજ રેલવે માંથી બ્રોડગેજમાં રૂપાંતરણની કામગીરી આખરી ચરણમાં પુરજોશમાં ચાલી રહી છે. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સહીત અધિકારીઓએ અમદાવાદથી હિમતનગરના રેલવે લાઈનમાં આવતા સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું. અસારવા, રખિયાલ, તલોદ, પ્રાંતિજ, સોનાસણ અને હિમતનગર રેલવે સ્ટેશન પર પહોચ્યા હતા. જીએમ અસારવાથી […]

Top Stories Gujarat Others

સાબરકાંઠા,

અમદાવાદથી ઉદેપુર મીટરગેજ રેલ્વે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતરણ થઇ રહ્યું  છે, ત્યારે સાબરકાંઠા જીલ્લામાં મીટરગેજ રેલવે માંથી બ્રોડગેજમાં રૂપાંતરણની કામગીરી આખરી ચરણમાં પુરજોશમાં ચાલી રહી છે.

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સહીત અધિકારીઓએ અમદાવાદથી હિમતનગરના રેલવે લાઈનમાં આવતા સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું.

અસારવા, રખિયાલ, તલોદ, પ્રાંતિજ, સોનાસણ અને હિમતનગર રેલવે સ્ટેશન પર પહોચ્યા હતા. જીએમ અસારવાથી અમન રેલવે એન્જીનમાં રખિયાલ સુધી બેસીને નિરીક્ષણ કર્યું હતું.

રખિયાલથી કારમાં તલોદ, પ્રાંતિજ, સોનાસણ થઈને હિમતનગર રેલ્વે સ્ટેશને કાફલો આવી પહોચ્યા હતો, જ્યાં હિમતનગર રેલવે સ્ટેશન નજીક આવેલ  દુર્ગા રેલવે ફાટક અવરોધ હોવાથી તે સ્થળની નિરીક્ષણ કર્યું હતું અને તે ફાટક બંધ કરવું કે તેનો વિકલ્પ કયો તેની પર અધિકારીઓ ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે તે અંગે ચર્ચા કરી હતી.

જો આ રેલવે ફાટકનો રસ્તો થશે તો માર્ચ ૨૦૧૯ માં રેલવે અમદાવાદથી હિમતનગર શરુ થશે તેવું વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે જણાવ્યું હતું અને અમદાવાદથી હિમતનગર સુધીના તમામા સ્ટેશનો પર ચાલી રહેલ કામ પણ પ્રગતિમાં છે.