Not Set/ ભોપાલ : પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે મંત્રાલયની બહાર ગાયું વંદે માતરમ

ભોપાલ મધ્ય પ્રદેશમાં છેલ્લા થોડા સમયથી મંત્રાલયમાં વંદે માતરમને ગીત ગાવાને લઈને રાજકારણ ગરમાયું છે. Bhopal: Former MP Chief Minister Shivraj Singh Chouhan and other BJP leaders sing Vande Mataram outside Mantralaya. pic.twitter.com/Z72JUWSt6w — ANI (@ANI) January 7, 2019 આજે મંત્રાલયની બહાર  મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને બીજા બીજેપીના નેતાઓએ વંદે માતરમ ગીત […]

Top Stories India Trending Politics

ભોપાલ

મધ્ય પ્રદેશમાં છેલ્લા થોડા સમયથી મંત્રાલયમાં વંદે માતરમને ગીત ગાવાને લઈને રાજકારણ ગરમાયું છે.

આજે મંત્રાલયની બહાર  મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને બીજા બીજેપીના નેતાઓએ વંદે માતરમ ગીત ગાયું છે.

મંત્રાલયમાં દર મહિનાની પ્રથમ તારીખે મંત્રાલયમાં વંદે માતરમ ગીત ગાવામાં આવતું હતું જે બીજેપીની પરંપરા છે.

પૂર્વ સીએમે કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું કે વંદે માતરમનું કોઈ નવું રૂપ નથી હોતું. વંદે માતરમ એ વંદે માતરમ જ છે.

સીએમ કમલનાથે વંદે માતરમ ગાવા પર શું કહ્યું ?

મધ્ય પ્રદેશના હાલના સીએમ કમલનાથે આ વંદે માતરમને નવા રૂપ આપવાની વાત કરી હતી. સીએમ કમલનાથે એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું હતું  કે દર મહિનાની પહેલી તારીખે સવારે ૧૦:૪૫ વાગ્યે ભોપાલમાં શૌર્ય-સ્મારકથી વલ્લભ ભવન સુધી રેલી નીકળશે જેમાં પોલીસનું બેન્ડ એવી ધૂન વગાડશે જે દેશભક્તિની ભાવનાઓને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ભવન પહોચીને રાષ્ટ્રગીત અને વંદે માતરમ ગાવામાં આવશે.

પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે શું કહ્યું ?

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે લખ્યું હતું કે જો કોંગ્રેસને રાષ્ટ્રગીતના શબ્દો નથી આવડતા કે રાષ્ટ્રગીત ગાવામાં શરમ આવે છે તો મને કહી દે.

હું દર મહિનાની પહેલી તારીખે વલ્લભ ભવનના પ્રાંગણમાં જનતા સાથે વંદે માતરમ ગાઇશ. વધુમાં તેમણે કહ્યું કે કોંગેસ કદાચ ભૂલી ગઈ છે કે સરકાર તો આવતી-જતી રહે છે પરંતુ તેનાથી દેશ અને દેશભક્તિ પર કોઈ અસર નથી થતી. હું માંગ કરું છુ કે વંદે માતરમ ગીત હંમેશાની જેમ કેબીનેટમાં મીટીંગની પહેલા અને દર મહિનાની પહેલી તારીખે વલ્લભ ભવનના પ્રાંગણમાં ગાવામાં આવે. જય હિંદ.