દિલ્હી,
મોદી સરકારે તેમના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું અને દરેક વર્ગની ખાસ સંભાળ લીધી. તેઓએ મધ્યમ વર્ગને બિમ્પર રાહત આપી જ્યારે ખેડૂતોની પણ ખાસ સંભાળ લીધી. તેમણે મજૂરોને માસિક પેન્શન આપીને તેમનું સમ્માન કર્યું. પીયૂષ ગોયલ જેમ-જેમ જાહેરાત કરતા ગયા તેમ-તેમ ભાજપના સાંસદ ટેબલ થપાથપ કરી ઘોષણાઓનું સ્વાગત કરી રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલએ તરત જ કરમુક્ત આવક 5 લાખ સુધી જાહેર કરી. સંસદમાં મોદી-મોદીના નારા ગુંજવા લગ્યા અને રાહુલ ગાંધી મોઢા પર હાથ રાખીને બેસી રહ્યા.
ચૂંટણી પહેલાં, મોદી સરકારે કરદાતાઓ માટે મોટી ઘોષણા કરી. મોદી સરકારે જાહેર કર્યું કે પાંચ લાખથી વધુની કમાણી કરનારને 13 હજાર રૂપિયાથી ફાયદો થશે. આનાથી એફડીના વ્યાજમાં 40 હજાર રૂપિયા ટેક્સ આપવાનો રહશે નહીં. અત્યાર સુધી, 10 હજાર વ્યાજ પર કોઈ ટેક્સ હતો નહિ. રોકાણ સાથે રૂપિયા 6.5 લાખની આવક પર કોઈ ટેક્સની જરૂર પડશે નહીં. મહિલાને બેંકથી 40 હજાર રૂપિયાના સુધી વ્યાજ પર ટેક્સ આપવાનો નહીં રહે.
પગારદાર લોકોને મોટી ખુશી આપી છે. ગોયલ ગ્રેચ્યુટી ચુકવણીની મર્યાદા રૂ. 10 લાખથી 20 લાખ રૂપિયા કરી દીધા છે. આનો અર્થ એ કે હવે, પાંચ વર્ષ પછી નોકરીની મુક્તિ પછી, રૂ. 10 લાખની મહત્તમ રકમ રૂ. 20 લાખ કરવામાં આવી છે.
આની જાહેરાત થતાં જ, સાંસદોએ મોદી-મોદીના નારા લાગવાનું શરુ કર્યું, પરંતુ કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તેમનું મોં લટકાવીને સંસદમાં બેઠા જોવામાં મળ્યા. એવું લાગતું હતું કે લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારના સિક્સર દ્વારા રાહુલ ગાંધીને ખૂબ જ આઘાત લાગ્યો છે.