અમદાવાદ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા યોજવામાં આવેલા રોડ શોને ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી છે.આચાર સહિતાના ભંગને મુદ્દે ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને ક્લીનચીટ આપી છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મતદાન કરવા જતા સમયે ખુલ્લી જીપમાં મુસાફરી કરી હતી.જે બાદ રસ્તા પર પગપાળા જઈ મતદાન કર્યું હતું.આ ઉપરાંત જાહેરમાં તેઓએ સંબોધન પણ કર્યું હતું.જેને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને આચાર સહિતાના ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. જેને ચૂંટણીપંચે ક્લિનચીટ આપતા કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે આચાર સહિતાનું ભંગ કર્યું નથી.