મકાન ધરાશાયી/ રાજકોટ જેતપુરના ગોદરામાં 6 મકાન ધરાશાયી, દુર્ઘટનામાં 3ના મોત, 6 ઇજાગ્રસ્ત

રાજકોટમાંથી એક મોટી ઘટના સામે આવી છે. રાજકોટના જેતપુરના ગોદરામાં એકસાથે છ મકાન અચાનક જ ધરાશાયી થઇ ગયા છે. અચાનક આ ઘટના બનતા લોકો ઘબરાઈ ગયા હતા.

Top Stories Gujarat Rajkot
jetpur રાજકોટ જેતપુરના ગોદરામાં 6 મકાન ધરાશાયી, દુર્ઘટનામાં 3ના મોત, 6 ઇજાગ્રસ્ત

રાજકોટમાંથી એક મોટી ઘટના સામે આવી છે. રાજકોટના જેતપુરના ગોદરામાં એકસાથે છ મકાન અચાનક જ ધરાશાયી થઇ ગયા છે. અચાનક આ ઘટના બનતા લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટના બપોરે ૩ વાગ્યાની આસપાસ ઘટી હોવાનું સામે આવ્યું છે, દિવાલની આસપાસ માટી ખુપી જવાથી અને પાણી આવવાથી દિવાલ ધરાશાઈ થઇ હતી.

4 116 રાજકોટ જેતપુરના ગોદરામાં 6 મકાન ધરાશાયી, દુર્ઘટનામાં 3ના મોત, 6 ઇજાગ્રસ્ત

જેતપુરના ગોદરામાં છ મકાન ધરાશાયી થયા હતા, આ દુર્ઘટના ખુબ જ કરુણ છે તેમાં લગભગ આઠ લોકો ફસાઈ ગયા હતા, ત્યાના સ્થાનિક લોકો અને નગર પાલિકા તરત જ દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ કાર્ય હાથ ધર્યું હતું. ઘટનાસ્થળે તરત જ એમ્બુલન્સ બોલાવી લેવામાં આવી હતી, ત્યાના સ્થાનિકો નો મદદ લઈને તેમને જેતપુરની સ્થાનિક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ૩ લોકોના મોત નીપજ્યા છે છ લોકો ઈજાગ્રસ્ત હોવનું સામે આવ્યું છે..

4 117 રાજકોટ જેતપુરના ગોદરામાં 6 મકાન ધરાશાયી, દુર્ઘટનામાં 3ના મોત, 6 ઇજાગ્રસ્ત

આ ઘટનાની જાણ ધારાસભ્ય જયેશ રાદડિયાને થતા તેઓ તરત જ ઘટના સ્થળે પહોચી આવ્ય હતા. મળતી માહિતી અનુસાર જે મકાનો ધરાશાયી થયા છે તે મકાન અંદાજીત 100 વર્ષ જુના હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ત્યાં જે લોકો રહેતા હતા તેઓ ગરીબ હતા અને તેમને આના બદલે મદદ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે, આ સાથે જ તેમાં બે બાળકો અને એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. થોડા સમય અગાઉ પણ આવી જ એક ઘટના બની હતી.

આ પણ વાંચો:CA Exam/ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં અમદાવાદનો અક્ષય જૈન પ્રથમ

આ પણ વાંચો:Ayushmancard/આયુષ્યમાન કાર્ડધારકોને 11 જુલાઈથી મળશે દસ લાખની સહાય