ગત 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ ત્રાસવાદી હુમલાના 12 દિવસની અંદર, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને પાઠ શીખવ્યો છે. વાયુસેનાએ મંગળવારે પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સ્થળોને નાશ કરી દીધા. માહિતી અનુસાર વાયુસેના લગભગ 12 મીરાજ વિમાનોએ આ ઓપરેશનને અંજામ આપ્યું. તો આ હુમલામાં 300 થી વધુ આતંકવાદીઓની માર્યા જ્ઞાની સંભાવના છે. રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાન તરફથી હુમલાની વાત સ્વીકારવામાં આવી છે. જો કે, પાકિસ્તાન કોઈ પણ પ્રકારના નુકસાનને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આવો જાણીએ કે ભારત કેવી રીતે આ પરાક્રમને અંજામ આપ્યું.
15 ફેબ્રુઆરી : પુલવામા આતંકવાદી હુમલા બાદ, વાયુસેનાના એયર ચીફ માર્શલ બિરેન્દ્ર સિંહ ધાનોઆએ પાકિસ્તાનને જવાબ આપવા માટે એયર સ્ટ્રાઈકની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત સરકાર દ્વારા તરત જ મંજૂર કરવામાં આવી હતી.
16 થી 20 ફેબ્રુઆરી: આ પછી, ભારતીય એયર ફોર્સ અને આર્મીએ હેરોન ડ્રૉન સાથે નિયંત્રણ રેખા (એલઓસી) પર હવા નિરીક્ષણ શરૂ કરી દીધું.
20 થી 22 ફેબ્રુઆરી: આ સમય દરમિયાન, ભારતીયવાયુસેના અને ઈન્ટેલીજેંસ એજન્સીઓએ સ્ટ્રાઈક માટેની સંભવિત સાઇટ્સ નક્કી કરી.
21 ફેબ્રુઆરી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ દ્વારા એયર સ્ટ્રાઈકના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.
22 ફેબ્રુઆરી: ભારતીય વાયુસેનાના 1 સ્ક્વાડ્રન ‘ટાઇગર્સ’ અને 7 સ્ક્વાડ્રન ‘બેટલ એક્સિસ’ ને સ્ટ્રાઈક મિશન માટે સક્રિય કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બે બે મિરાજ સ્ક્વાડ્રન મિશનના માટે 12 જેટ પસંદ કરવામાં આવ્યા હતા.
24 ફેબ્રુઆરી: : પંજાબના ભટિંડાથી વાનિંગ જેટ અને યુપીના આગ્રાથી મીડ એયર રિફ્યુલિંગના દેશમાં અંદર ટ્રાયલ કરવામાં આવ્યું.
25 ફેબ્રુઆરી: આ દિવસે ઓપરેશન શરૂઆત કરતા 12 મીરાજ વિમાનોને તૈયાર કરવામાં આવ્યા હતા. સ્ટ્રાઈકથી પહેલા મીરાજ પાયલોટે ધ્યેયની પુષ્ટિ કરી. પાકિસ્તાનની અંદર, મુઝફ્ફરાબાદમાં લેસર માર્ગદર્શિત બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ પરાક્રમ 3.20 વાગ્યાથી સાંજ 4 વાગ્યા સુધી અંજામ આપવામાં આવ્યો.
26 ફેબ્રુઆરી: રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઓપરેશન વિશે જાણકારી આપી.
આપને જણાવી દઈએ કે 14 મી ફેબ્રુઆરીના રોજ પુલવામા, જમ્મુ-કાશ્મીરની સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલા બાદ દેશમાં કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી. આ હુમલામાં, સુરક્ષા દળના 40 સૈનિકો શહીદ થયા હતા. આ પછી સમગ્ર દેશમાં પાકિસ્તાનની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી.
પાકિસ્તાને પોતે કર્યું કન્ફર્મ
ભારતીય વાયુસેનાના હુમલાને પાકિસ્તાનને કન્ફર્મ કર્યું છે. પાકિસ્તાનની સેનાના ઓફિસર આસિફ ગફૂરે ટ્વિટ, કર્યું છે ભારતીય વાયુસેનાના વિમાનો મુઝફ્ફરાબાદ સેક્ટરમાં ઘુસ્યા. પાકિસ્તાની એયર ફોર્સની તરફથી સમય પર અને પ્રભારી જવાબ મળ્યા પછી તેઓ ઉતાવળમાં તેમના બોમ્બ ફેકીને બાલાકોટના નજીકથી બહાર નીકળી ગયા. જાનમાલને કોઈ નુકસાન થયું નથી. જોકે પાકિસ્તાનની તરફથી હુમલાના નુકશાનને નકારી લીધું છે.