લોકસભાની ચુંટણી હવે પાંચમાં ચરણ સુધી પહોચવા આવી છે. પરંતુ હજુ પક્ષ પલટવાનો નેતાઓનો સ્વભાવમાં બદલાવ આવ્યો નથી. આજે ફરી એક નેતાએ પક્ષ પલટી દીધો હોવાનું સામે આવ્યુ છે. ચુંટણી પાંચમાં ચરણ સુધી પહેચી ગઇ છે અને આપનાં ધારાસભ્યએ પક્ષ પલટો કરી અરવિંદ કેજરીવાલને એક મોટો ઝટકો આપી દીધો છે.
લોકસભા ચુંટણી તેના પાંચમાં તબક્કામાં પહોચવા ગઇ છે, ત્યારે આમ આદમી પાર્ટી માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાર્ટીનો એક ધારાસભ્ય તેમનો સાથ છોડી બીજેપીમાં જોડાઇ ગયો છે. આપ નાં આ નેતા ગાંધીનગરથી ધારાસભ્ય છે જેમનુ નામ અનિલ વાજપાયી છે. અનિલ વાયપાયીએ આપ નો સાથ હવે છોડી બીજેપીનું કમળને પસંદ કર્યુ છે. સુત્રોનાં જણાવ્યા મુજબ અનિલ વાયપાયીએ કહ્યુ કે, પાર્ટીએ મને ઘણો અપમાનિત કરવામાં આવ્યો. તેણે કહ્યુ કે, ઘણીવાર અરવિંદ કેજરીવાલ ધારાસભ્યોને ગધેડા કહી દે છે. આ સાંભળવા માટે કોઇ પાર્ટીમાં જોડાયુ નથી. આ જ કારણે મે આ પાર્ટી છોડી દીધી છે.