વિધાનસભાનાં ચાલી રહેલા ચોમાસું સત્રનાં આજનાં દિવસે, વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ગૃહમાં એક મહત્વની જાહેરાત કરવામા આવી હતી. વિધાનસભા અધ્યક્ષે ગૃહને જણાવ્યું હતું કે આગામી 22 જુલાઈએ આચાર્ય દેવવ્રત, ગુજરાતનાં નવ નિયુક્ત રાજ્યપાલ તરીકે પોતાનો પદ્દભાર સંભાળશે. આચાર્ય દેવવ્રત ગાંધીનગર ખાતેનાં ગુજરાતનાં રાજભવન ખાતે રાજ્યપાલનાં શપથ ગ્રહણ કરશે. શપથ સમારોહમાં ગુજરાતનાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને તમામ ઉચ્ચ અધિકારી સહિતનાં પદ્દાધિકારી હાજર રહેશે. નવા રાજ્યપાલને સંવિધાન મુજબ ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ શપથ લેવડાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
