ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE)એ ગાયક અનૂપ જલોટા અને તલત અઝીઝને પાકિસ્તાની અભિનેતાઓ સાથે લંડનના શોમાંથી તેમના નામ પાછા ખેંચવાની અપીલ કરી છે. FWICEના મુખ્ય સલાહકાર અશોક પંડિતે શનિવારે ટ્વીટ કર્યું હતું કે, ” FWICE અનૂપ જલોટા અને તલત અઝીઝને પાકિસ્તાનીઓ સાથેના શોમાંથી પાછો ખેંચવાની અપીલ કરી રહી છે.”
ટ્વિટમાં દાવો કરતા કહ્યું કે, “અનૂપ જલોટાના શોનો પ્રોમો ભારત વિરોધી છે.”
FWICEએ તલાટ અઝીઝને એક નોટિસ ફટકારી છે કે, અમને એક પોસ્ટર મળ્યો છે જેમાં ખુલાસો થયો છે કે તમે 12 અને 13 ઓક્ટોબર 2019 ના રોજ લંડનમાં પાકિસ્તાની કલાકાર તારી ખાન સાથે લાઇવ કોન્સર્ટમાં હશો.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “અમે પહેલેથી જ સૂચના આપી દીધી છે કે કોઈ પણ ભારતીય કલાકાર, ગાયક, ડાન્સર, એન્કર વગેરે પાકિસ્તાનના નાગરિકો અને કલાકારો સાથે બંને દેશો વચ્ચે પ્રવર્તતી ખતરનાક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામ કરશે નહીં.”
આ પછી કહેવામાં આવ્યું, “દેશની ગૌરવ અને માન જાળવવા માટે તમે બંનેને તરત જ આ રદ કરવાની નમ્ર વિનંતી. તમે એક ભારતીય છો, જેના માટે તમારે ગર્વ થવો જોઈએ.”
જો પત્રમાં અપીલનો અમલ નહીં કરવામાં આવે તો કલાકારોને ભયંકર પરિણામોની ચીમકી પણ આપવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું છે કે, “જો તમે ઉસ્તાદ તારી ખાનના કાર્યક્રમને રદ નહીં કરો અને ભારતીય લોકોની ભાવનાઓ વિરુદ્ધ જશો, તો પછી કોઈપણ ભારતીય કલાકાર, ગાયક, ડાન્સર, એન્કર અથવા અન્ય કોઈ પણ પ્રકારનો કલાકાર આખી દુનિયામાં તમારી સાથે કામ નહીં કરે. ”
28 સપ્ટેમ્બરના રોજ સિડનીમાં યોજાનારા ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાનના લાઇવ કોન્સર્ટને પ્રોત્સાહન આપવા માટે યોગેશ શર્માને આવો જ પત્ર લખવામાં આવ્યો છે. અનૂપ જલોટા અને તલત અઝીઝે હજી સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
એસોસિએશને તાજેતરમાં જ ગાયક મીકાહસિંહને પાકિસ્તાનમાં તેમના લાઇવ શો બાદ ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે ગાયકે માફી માંગ્યા બાદ પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.