Not Set/ UNમાં આજે પીએમ મોદીનું ભાષણ, આતંકવાદ ઉપરાંત વિકાસના મુદ્દા ભાષણમાં શામેલ

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 7 દિવસીય અમેરિકા યાત્રાનો અંતિમ દિવસ છે. આજે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74 માં અધિવેશનને સંબોધન કરશે. પીએમ મોદી ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે ભાષણ આપશે. પીએમ મોદી યુ.એન.માં પાકિસ્તાનનું નામ લીધા વિના આતંક પર ગાળિયો કસી શકે છે. આતંકવાદ ઉપરાંત વિકાસના મુદ્દાને પણ ભાષણમાં શામેલ કર્યા છે વડા […]

Top Stories World

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 7 દિવસીય અમેરિકા યાત્રાનો અંતિમ દિવસ છે. આજે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74 માં અધિવેશનને સંબોધન કરશે. પીએમ મોદી ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે ભાષણ આપશે.

પીએમ મોદી યુ.એન.માં પાકિસ્તાનનું નામ લીધા વિના આતંક પર ગાળિયો કસી શકે છે. આતંકવાદ ઉપરાંત વિકાસના મુદ્દાને પણ ભાષણમાં શામેલ કર્યા છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) નાં 74માં અધિવેશનને સંબોધન કરશે. પીએમ મોદી ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે ભાષણ આપશે. મળતી માહિતી મુજબ વડા પ્રધાન પાકિસ્તાનનું નામ લીધા વિના ભાષણ દરમિયાન આતંકવાદ પર ગાળિયો કસશે.

તેઓ પોતાના ભાષણ દરમિયાન વિશ્વ સમુદાયને સંબોધન કરશે. વડા પ્રધાન મોદી પોતાના ભાષણમાં આતંકવાદનો ઉલ્લેખ કરી શકે છે. પીએમ મોદીના ભાષણ પછી ત્રણ દેશોના વડાઓ આવશે.

એવું માનવામાં આવે છે કે ભારતનું ભાષણ વૈશ્વિક વિકાસ પર પણ કેન્દ્રિત થઈ શકે છે. તે જ સમયે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન 6 દેશોનાં સંબોધન કર્યા પછી 7 માં  ક્રમે વિશ્વની સામે પોતાની વાત મૂકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.