રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 12 ઓકટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પાટનગરમાં તેમના સ્વાગતની પૂર જોર તૈયારીઓ ચાલી રહી છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ PM મોદીના માતાની મુલાકાતે પણ જશે.
છેલ્લા કેટલાક સમાઠી ગુજરાતને વિકર્ણ મોડેલ તરીકે જોવામાં આવી રહયું છે. ગુજરાતને વિકાસના મોડલ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. તમામ ટ્રાયલ એન્ડ એરર ગુજરાત ઉપર જ અજમાવવામાં આવે છે ત્યારે ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે.
રામનાથ કોવિંદ 12મી ઓકટોબરથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. તેઓ હંમેશા ગુજરાતમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા રહ્યા છે. ગુજરાતમાં રામનાથ કોંવિંદ સોમનાથ, જૂનાગઢ વગેરેની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે આ વખતે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હિરા બાની મુલાકાત લેશે. તે આ અગાઉ પણ માતા હિરાબાની મુલાકાત લઈ ચુક્યા છે. જોર શોરથી રામનાથ કોવિંદના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
