યુરોપિયન યુનિયનના કુલ 27 સાંસદ શ્રીનગર અને ખીણના અન્ય ભાગોની મુલાકાત લેશે, જ્યાં તેઓ સ્થાનિક લોકોને મળશે. આ પ્રવાસનો હેતુ કાશ્મીર ખીણની પરિસ્થિતિને જાણવાનો છે.
- ઇયુના સાંસદોની ટીમ આજે કાશ્મીરની મુલાકાતે આવશે
- રાહુલ સહિતના ઘણા વિપક્ષી નેતાઓના સવાલ
- ભારતીય સાંસદોને કાશ્મીર કેમ ના જવા દીધા
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી પહેલીવાર વિદેશી પ્રતિનિધિમંડળ કાશ્મીર ખીણની મુલાકાત લઈ રહ્યું છે. મંગળવારે, યુરોપિયન યુનિયન (ઇયુ) ના કુલ 27 સાંસદ શ્રીનગર અને ખીણના અન્ય ભાગોની મુલાકાત લેશે, જ્યાં તેઓ સ્થાનિક લોકોને મળશે. આ પ્રવાસનો હેતુ કાશ્મીર ખીણની પરિસ્થિતિને જાણવાનો છે. પરંતુ યુરોપિયન યુનિયનના સાંસદોની આ મુલાકાત વિપક્ષને રાસ નથી આવી. કોંગ્રેસ સહિત વિપક્ષના અન્ય પક્ષોએ આ મુદ્દે મોદી સરકારને ઘેરી લીધી છે.
રાહુલે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલે પૂછ્યું, જ્યારે ભારતીય સાંસદો અથવા નેતાઓને જમ્મુ-કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી, તો પછી ઇયુ સાંસદોને આ પરવાનગી કેવી રીતે મળી? રાહુલે લખ્યું કે આમાં ઘણું ખોટું છે. માત્ર રાહુલ ગાંધી જ નહીં પરંતુ કોંગ્રેસ પક્ષના અન્ય નેતાઓ, પ્રવક્તાઓએ પણ આ મુદ્દે મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.
આ મુદ્દે સંસદમાં હોબાળો થઈ શકે છે
નવેમ્બર મહિનામાં સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ37૦ હટાવ્યા પછીનું આ પહેલું સત્ર હશે. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું છે કે ‘ઈયુના સાંસદોના કાશ્મીર મુલાકાત’ના મુદ્દાને સંસદમાં ઉઠાવવામાં આવશે. તેમણે કહ્યું કે વિદેશી સાંસદોને જવા દેવા અને ભારતીય સાંસદોને ખીણની મુલાકાતે ન જવા દેવી એ ભારતની સંસદનું અપમાન છે. કોંગ્રેસ સિવાય કેટલાક અન્ય પક્ષોએ પણ આ અંગે સવાલો ઉભા કર્યા છે.
વિપક્ષની સાથે ભાજપના પણ કેટલાક સંસદોએ સવાલ ઉઠાવ્યા
ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ યુરોપિયન યુનિયનના સાંસદોની કાશ્મીર મુલાકાત પર સવાલ ઉઠાવ્યા હતા. ભાજપના રાજ્યસભાના સાંસદ સ્વામીએ કહ્યું કે વિદેશ મંત્રાલય દ્વારા મુલાકાતની મંજૂરી આપવી એ ભારતની નીતિની વિરુદ્ધ છે, તેથી કેન્દ્ર સરકારે તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.
‘ગેરો પે કરમ, અપનો પે સિતમ’
ઉલ્લેખનીય છે કે, સરકાર દેશના નેતાઓને કાશ્મીર જવાથી રોકી રહી છે, પરંતુ વિદેશી સાંસદોને કાશ્મીર જવાની મંજૂરી આપી રહી છે. આ માટે દલીલ પણ આપવામાં આવી રહી છે. કલમ 370 પાછી ખેંચ્યા પછી, જ્યારે ગુલામ નબી આઝાદ, રાહુલ ગાંધી, અથવા સીતારામ યેચુરી, શરદ યાદવ, ડી.રાજા સહિતના અન્ય પક્ષો સહિતના કોંગ્રેસના નેતાઓ શ્રીનગર પહોંચ્યા, ત્યારે તેઓ બધાને એરપોર્ટથી રીટર્ન કરવામાં આવ્યા હતા.
વિરોધ પક્ષ સરકારના દાવા પર પણ સવાલ ઉભા કરી રહ્યો છે, જ્યારે દરેક વખતે સરકાર વતી કહેવામાં આવતું હતું કે કલમ 37૦ એ ઘરનો મુદ્દો છે, તેમ છતાં ઇયુના સાંસદોને મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.