Not Set/ ભારત કા દમ/ જાણો બેલેસ્ટિક મિસાઈલ-“K-5” અને તેની વિનાશક તાકાત વિશે

“K-5″મિસાઈલ’ જડબાતોડ જવાબ આપવા સક્ષમ ભૂમિ,વાયુ અને પાણીમાંથી પ્રહાર કરી શકે છે “K-5” કે-૫ સ્વદેશી બનાવટની મિસાઇલ છે પરમાણુ-મારક ક્ષમતા ધરાવતા માત્ર નવ દેશ સમગ્ર દુનિયામાં 17000 જેટલા પરમાણુ હથિયારો 4100 જેટલા હથિયારો ‘રેડી ટુ વોર’ ઉપલબ્ઘ આજે એક એવા જ હથિયારની વાત કરીએ, જેનું નામ પડતા જ દુશ્મનોના કરોડરજ્જુમાંથી ભયનું લખલખું પસાર થઇ જાય. […]

Top Stories India
  • “K-5″મિસાઈલ’ જડબાતોડ જવાબ આપવા સક્ષમ
  • ભૂમિ,વાયુ અને પાણીમાંથી પ્રહાર કરી શકે છે “K-5”
  • કે-૫ સ્વદેશી બનાવટની મિસાઇલ છે
  • પરમાણુ-મારક ક્ષમતા ધરાવતા માત્ર નવ દેશ
  • સમગ્ર દુનિયામાં 17000 જેટલા પરમાણુ હથિયારો
  • 4100 જેટલા હથિયારો ‘રેડી ટુ વોર’ ઉપલબ્ઘ

આજે એક એવા જ હથિયારની વાત કરીએ, જેનું નામ પડતા જ દુશ્મનોના કરોડરજ્જુમાંથી ભયનું લખલખું પસાર થઇ જાય. ભારત પાસે છે, પાણીમાંથી વાર કરી શકાય એવી અન્ય એક સબમર્સીબલ લોન્ચડ બેલેસ્ટિક મિસાઈલ કે જે “K-5” બેલેસ્ટિક મિસાઈલ’ તરીકે ઓળખાય છે. “K-5” પરમાણુ બોમ્બ વહન કરતી બેલેસ્ટિક મિસાઇલ છે.

 આપને જણાવી દઇએ કે K – મિસાઇલ પરિવાર, ભારતમાં નિર્મીત મિસાઇલનો પુરો પરિવાર છે જેમાં અનેક K સિરીઝની મિસાઇલનો સમાવેશ થાય છે. ભારતીય મિસાઇલ મેન વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના નામ પર રાખવામાં આવેલી મિસાઇલોનો K પરિવાર, ભારત દ્વારા તેની અનેખા પ્રકારની આક્રમણ ક્ષમતાને વધારવા માટે વિકસિત સબમરીન-લોન્ચ બેલેસ્ટિક મિસાઇલોની શ્રેણી છે અને તેથી તે તેના પરમાણુ અવરોધને વધારે છે.
લોંચ પ્લેટફોર્મ  : અરિહંત વર્ગની સબમરીન
ઓપરેશનલ રેન્જ : 3,500 કિ.મી.
મહત્તમ ફાયરિંગ રેંજ : 5,000 કિ.મી. ( K-5 SLBM)
ગતિ : માચ 7.5 ( શૌર્ય , જે સાગરિકા કે -15 મિસાઇલનું જમીન આધારિત સંસ્કરણ છે )
વિસ્ફોટના ઉપજ : કે -4 : 200-250 કિલોટન
વોરહેડ : કે -15 : 1 ટન, કે -4 : 1-2.5 ટન, કે -5 : 2.5 ટન; 500 કિલો ( એર-લોંચ કરેલું વર્ઝન)
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા ભારતીય વ્યૂહાત્મક દળોના અંડરવોટર પ્લેટફોર્મ માટે કે -5 મિસાઇલ બનાવવામાં આવી છે. તે અરિહંત વર્ગની સબમરિન દ્વારા વહન કરવામાં આવે છે. અને ભારતીય નૌકાદળનાં અહેવાલ પ્રમાણે, ડીઆરડીઓ દ્વારા મહત્તમ 5000 કિલોમીટરની રેન્જવાળી સબમરીન-લોન્ચ કરી શકે તેવી સોલિડ ફ્યુઅલ મિસાઇલ વિકસાવવામાં આવી છે.

અણુશસ્ત્રોનું વહન કરી શકે એવી ન્યુક્લિઅર મિસાઈલ! પરમાણુ હથિયારનું નામ પડે એટલે કેટલાક લોકોને ‘વિશ્વ શાંતિ’ની ચિંતા થઇ આવે છે. પણ શાંતિની જાળવણી અને સ્વ-રક્ષા માટે પણ આપણે પોતે શક્તિશાળી હોવું, એ પહેલી શરત છે. કેમ કે હાલના તબક્કે, દુનિયાભરમાં પરમાણુ-મારક ક્ષમતા ધરાવનાર દેશો માત્ર નવ છે,પણ તેમની પાસે બધું મળીને 17000 જેટલા પરમાણુ હથિયારો છે. આ પૈકીના ઓછામાં ઓછા 4100 જેટલા હથિયારો ‘રેડી ટુ વોર’ છે. જો કે સ્વદેશી K-5 મિસાઈલને કારણે ભારત દુશ્મનના કોઈ પણ આણ્વિક દુઃસાહસનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. ભૂમિ, વાયુ અને પાણીમાંથી આ પરમાણુ મિસાઈલ દ્વારા હુમલો કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.