દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીવાસીઓને આનંદ અને રાહત દાયક જાહેરાત કરવામાં આવી છે, જો કે, જાહેરાત તો પૂર્વે જ કરી દેવામાં આવી હતી કહી શકાય કે જાહેકાતની અમલાવરી શરૂ કરી દોવામાં આવી છે. જી હા, CM કેજરીવાલા દ્વારા પૂર્વે જાહેરાત કરવામાં આવી હતી તે મજબ પાણી અને ગટરના વિકાસ અને માળખાકીય સુવિધા માટે આજથી શુલ્ક(ટેક્સ) લેવામાં આવશે નહીં. દિલ્હી વાસીઓને હવે માત્ર રૂ. 2310 જ ભરવા પડશે એ પણ નવા પાણી અથવા ગટરનાં જોડાણ લેવા માટે.
દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા આ પ્રકારની અનેક વિવિધ જાહેરાતો કરવામાં આવી હતી અને તબકાવાર આ તમામ જાહેરાતોને રાજ્ય સરકાર દ્વારા અમલ પણ કરવામાં આવી રહ્યો છે. અલબત પાણી, ગટર અને માળખાકીય સુવિધા માટે નવા કનેક્શન માટે 2310 ચૂકવવાનાં રહેશે, જૂના જોડાણો માટે વસુલવામાં આવતો આ સુવિધા પરનો વિકાસ અને મેઇન્ટેન્નશ ટેક્સ માફ કરી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.