જસદણ, વઢવાણ અને પાલિતાણા નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર આગામી 27 જાન્યુઆરીએ પેટાચૂંટણી યોજાશે. જેનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યો છે.
29 જાન્યુઆરીએ મતગણતરી થશે. આ ચૂંટણી માટે 6 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 11 જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હશે. 13 જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. 15 જાન્યુઆરીએ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ હશે. તો પેટાચૂંટણીની જાહેરાત સાથે જ જસદણ, વઢવાણ અને પાલિતાણા નગરપાલિકાના સંલગ્ન વિસ્તારમાં આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
