સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ 13 ના સૌથી સ્ટ્રોંગ અને ચર્ચિત કન્ટેસ્ટન્ટ્સ છે. સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થને ચાહકો અને સેલેબ્સના મિશ્રિત અભિપ્રાયો મળી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો સિદ્ધાર્થ શુક્લાની ગેમની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક તેમના એગ્રેસિવ વર્તન અને મહિલાઓ સાથે ગરેવર્તન બદલ ટીકા પણ કરી રહ્યા છે.
કૃષ્ણ અભિષેકે સિદ્ધાર્થ વિશે શું કહ્યું?
હવે ઘરની કન્ટેસ્ટન્ટ્સ આરતી સિંહના ભાઈ કૃષ્ણા અભિષેકે સિદ્ધાર્થ શુક્લાને મહિલાઓ સાથેના ખરાબ વર્તન માટે નિશાન બનાવ્યું છે. એક ઈન્ટરવ્યુમાં કૃષ્ણાએ કહ્યું – સિદ્ધાર્થને વિચારવું જોઇએ કે એક છોકરી પર આટલો ગુસ્સો કરવો કદાચ ઓડિયન્સ પણ નહીં પસંદ કરે. કૃષ્ણાએ કહ્યું કે જો તે સિદ્ધાર્થ શુક્લાને બદલે રમતમાં હોત તો તે ક્યારેય છોકરીઓ સાથે આ પ્રકારનું વર્તન ન કરતા.
આપને જણાવી દઈએ કે કૃષ્ણ અભિષેકે ઘણીવાર સિદ્ધાર્થ શુક્લાને તેમના એગ્રેસિવ વર્તનને લઈને સંભળાવી ચુક્યા છે. અને તેમની બહેન આરતી સિંહને સિદ્ધાર્થથી દૂર રહેવા અપીલ કરી છે.
જ્યારે શોની વાત કરીએ તો, અરહાન બીજી વખત બિગ બોસના ઘરની બહાર ગયો છે. શોમાં અરહાનની યાત્રા સમાપ્ત થઈ. જ્યારે છેલ્લા એપિસોડમાં, સ્પર્ધકોએ એકબીજા સાથે નવું વર્ષ ઉજવ્યું હતું અને ખૂબ આનંદ માણ્યો હતો. હવે જોવાનું રહેશે કે આ શોમાં કયો નવો વળાંક આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.