- ગુરુકૃપા સોસાયટીમાં જવેલર્સના વેપારી લૂંટાયા
- દુકાન બંધ કરી રૂપિયા લઈ ઘરે જતા બન્યો બનાવ
- બાઇક સવાર 2 લૂંટારુઓએ આપ્યો લૂંટને અંજામ
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘટનાની શરૂ કરી તપાસ
ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના સિદ્ધપુર ખાતે લુંટની ઘટના બની છે. છરીની અણી પર લુંટારા એક જવેલરના 2.5 લાખ રૂપિયા લઇને ફરાર થી ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સિદ્ધપુરની ગુરુકૃપા સોસાયટીમાં જવેલર્સના વેપારીને લુંટી લેવામાં આવ્યો છે. ગતરાત્રીના સમયે જવેલર માલિક જગદીશભાઈ પોતાની દુકાન વધાવીને ઘરે પરત ફરતા આ ઘટના બની હતી. દુકાન માલિક દુકાન વધાવી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બાઇક સવાર 2 લૂંટારુઓએ તેમને છરી બતાવી તેમની પાસે રહેલી રૂપિયા ૨.5ની રકમ લુંટી લીધી હતી. પોલીસે લૂંટની ઘટનાની તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.