પ્રજાસત્તાક દિવસ પહેલા દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાએ અહીં ત્રણ જૈશના આતંકીઓને ઘેરી લીધા છે. રિપોર્ટ અનુસાર બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. સેનાએ આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
પ્રજાસત્તાક દિવસના કારણે ખીણમાં પહેલાથી જ ઘણી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓની હાજરીના સમાચાર મળતાં જ સેના ત્રાલ પહોંચી હતી અને આતંકવાદીઓને ખતમ કરવા કાર્યવાહી શરૂ કરી હતી.
ઘરમાં છુપાયેલા છે આતંકવાદીઓ
સુત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ એક મકાનમાં છુપાયેલા છે. સેનાએ નજીકના લોકોને ઘર ખાલી કરવાનું કહ્યું છે. સેનાએ ઘેરાયેલા આતંકીઓની ઓળખ પણ પ્રકાશમાં આવી રહી છે. અહેવાલ મુજબ સેનાએ જૈશ કમાન્ડર કાકૈરી યાસિરને ઘેરી લીધો છે. કારી યાસિર પાકિસ્તાનો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદ કારી યાસિરે ખીણમાં સામાન્ય લોકોની હત્યા કરી હતી. આ આતંકવાદી પર ત્રાલ ગુર્જરની હત્યા કરવાનો આરોપ છે.
બીજા આતંકીનું નામ બુરહાન શેઠ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આત્મઘાતી છે. આને કારણે, સેના ખૂબ કાળજીપૂર્વક ઓપરેશન ચલાવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન