ચીનનો ખતરનાક કોરોનાવાયરસ સતત લોકોની મોતનું કારણ બની રહ્યો છે. આ જીવલેણ વાયરસથી ચીનમાં મૃત્યુઆંક 492 પર પહોંચી ગયો છે. બુધવારે આ વાયરસને કારણે 65 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વળી, કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 24 હજાર સુધી પહોંચી ગઈ છે. આપને જણાવી દઇએ કે, ડિસેમ્બરમાં કોરોનાવાયરસનો પ્રથમ દર્દી સામે આવ્યો હતો.
આ કેસ હુબેઈ પ્રાંતમાં બહાર આવ્યો હતો અને હવે આ વાયરસ ધીરે ધીરે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. મેનલેન્ડ ચીનમાં બે લોકો કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેમ જેમ વાયરસ ફેલાઈ રહ્યો છે, તેમ તેમ ચીન આખા વિશ્વમાં અલગ થઈ રહ્યું છે. ઉત્તર કોરિયા, રશિયા, મંગોલિયાએ તેમની સરહદોને બંધ કરી દીધી છે.
હજી સુધી કોરોનાવાયરસ માટે કોઈ નક્કર ઇલાજની સામે આવ્યું નથી. આ વાયરસનો સામનો કરવા માટે વિશ્વભરની આરોગ્ય સંસ્થાઓ જરૂરી પગલા લઈ રહ્યા છે, દરેક દેશ આ વાયરસ સામે લડવા માટે પોતાના દેશમાં મોટા પગલા લઈ રહ્યાં છે. વિશ્વ આરોગ્ય સંગઠને તેને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે.
અત્યાર સુધી, ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ, અમેરિકામાં કોરોનાવાયરસનાં દર્દીઓ દેખાયા છે. યુએસ ઓસ્ટ્રેલિયા, સિંગાપોરે તાજેતરમાં ચીનની મુલાકાત કરીને આવેલા વિદેશીઓના આગમન પર પ્રતિબંધ મૂક્યો છે. વિયેતનામે ચીનની તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.