સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સાયલા-ચોટીલા હાઇવે પર કારનું ટાયર ફાટતા કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દંપતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે,સાયલા ચોટીલા નેશનલ હાઇવે પર કાર પલટી મારી જતાં વૃદ્ધ દંપતીનું મોત નિપજ્યું. સાયલાથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે વૃદ્ધ દંપતીને રિફર કરતા સારવાર મળે તે પહેલા રસ્તામાં જ નિપજ્યું મોત હતું. મૃતક દંપતિ સાયલાના ધાંધલપુર ગામના વતની હતી. 5 ઘાયલ લોકો પૈકી ત્રણ મુંબઇના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બોટાદના ઢસા ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં માતા-પુત્રના મોત થયા હતા.બંને મૃતકો ઢસા ગામના હોવાનું જાણવા મળ્યું હતું. ઝડપે આવતી કારે એક્ટિવા ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. માતા અને પુત્ર એક્ટિવા લઈને લૌકિકના કામે જતા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. એક સાથે માતા અને પુત્રનું કરુણ મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત
આ પણ વાંચો:બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત
આ પણ વાંચો:જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ
આ પણ વાંચો:સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ