હંમેશા લોકોને આપણે એ ફરિયાદ કરતા સાંભળીએ છીએ કે ખુબજ સારી કમાણી હોવા છતાં તેમના ઘરમાં પૈસા નથી ટકતા. પૈસા જાણે કે એક હાથમાં આવે અને બીજા હાથથી ચાલ્યા જાય છે. તેમના ઘરે હંમેશા ધનની કમી જ રહે છે. એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ છે. જો તમને પણ આવી જ સમસ્યા નડી રહી છે તો ફરિયાદ છોડીને આ ખાસ ઉપાય કરો જેનાથી તમારી પૈસાની તંગી દૂર થઈ જશે.
સૌથી પહેલા જાણો કે ધનની બચત માટે જ્યોતિષ શાસ્ત્રમાં ક્યો ગ્રહ જવાબદાર હોય છે. આપને જણાવી દઈએ કે કુંડળીનો છઠ્ઠો ભાવ મુખ્ય રૂપથી ધનની બચત સાથે સંબંધ રાખે છે. આ સિવાય કુંડળીમાં અગિયારમો ભાવ આવકને નિયંત્રિત કરે છે. આ ભાવ બચત માટે મહત્વનો છે. ધનની આવક વ્યય બુધ નિયંત્રિત કરે છે. આથી બુધની સ્થિતિ ખુબજ મહત્વપૂર્ણ છે.
ઘરમાં પૈસાની તંગીથી બચવા શુક્ર બ્રહસ્પતિ અને મંગળની સ્થિતિ પણ જોઈ લેવી. ત્યારે જ બચત કરી શકાશે.
ક્યારે ધનની બચત નથી થતી?
જો કુંડળીમાં બુધ નબળો હોય. શુક્રની વધારે પડતી પ્રધાનતા હોય. કુંડળીના છઠ્ઠા ભાવનો સ્વામી ખરાબ હોય. વાયુ તત્વ મજબુત હોય. ઘરમાં યોગ્ય સ્થાન પર ધન ન રાખતા હો. હાથમાં ખોટો નંગ ધારણ કર્યો હોય પન્ના કે પોખરાજ પહેર્યો હોય ત્યારે ધનની બચત નથી થતી.
ક્યારે વ્યકિત ધનની બચત સરળતાથી કરી શકે છે
બુધ કે બ્રહસ્પતિ મજબુત હોય. શનિ ધન ભાવની નજીક હોય. કુંડળીમાં પૃથ્વી તત્વની પ્રધાનતા હોય. ઘરમાં તિજોરી યોગ્ય દિશામાં હોય.
ધનની બચત માટે કરો આ ઉપાય
તમારી આવકનો ચોથો ભાગ નિયમિત પણે દાન કરો. સલાહ લીધા પછી જ પન્ના કે પોખરાજ ધારણ કરો. રસોઈઘરને સાફ રાખો. ઉત્તર કે પૂર્વ તરફ ખુલે તે રીતે કબાટને રાખો. પીળા કપડામાં હળદર બાંધીને રાખો. શનિવારે નિર્ધન વ્યક્તિને સિક્કાનું દાન આપો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.