દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 નાં ચૂંટણીઓનાં પરિણામો સામે આવી રહ્યા છે. પ્રારંભિક વલણો મુજબ, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી હોય તેવું લાગી રહ્યુ છે. વળી, ભાજપ બેઠકો વધતી હોય તેવું લાગે છે, પરંતુ તે બહુમતીથી દૂર છે. આવી સ્થિતિમાં ભાજપે ચૂંટણીનાં પરિણામો પૂર્વે જ હાર સ્વીકારી લીધી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી શરૂ થયા પહેલા જ દિલ્હી ભાજપનાં મુખ્ય મથકની બહાર પોસ્ટર બદલાયા છે.
ભાજપનાં દિલ્હી રાજ્ય કાર્યાલય પર નવા પોસ્ટર સૂચવે છે કે પરિણામ પહેલા જ ભાજપે હાર સ્વીકારી લીધી છે. પોસ્ટર આવ્યા બાદ લોકોએ અટકળો શરૂ કરી દીધી છે કે શું મતોની ગણતરી કરતા પહેલા જ ભાજપે તેની હાર સ્વીકારી લીધી છે. ભાજપનાં દિલ્હી કાર્યાલયની બહાર અમિત શાહની પોસ્ટ પર લખવામાં આવ્યુ છે કે, ” વિજયથી અમે અહંકારી નથી થતા અને હારથી અમે નિરાશ નથી થતા”. આ લાઇન સ્પષ્ટ રીતે સમજાવે છે કે પાર્ટીએ પરિણામ પહેલાં જ હાર સ્વીકારીને કાર્યકરોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે ભાજપનાં નેતાઓનાં નિવેદનો આ પોસ્ટરથી બરાબર વિરુદ્ધ છે.
ભાજપનાં દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી દાવો કરી રહ્યા છે કે પાર્ટીને વિજયને 48 થી વધુ બેઠકો મળશે, જ્યારે ભાજપનાં નેતા અને રાજ્યસભાનાં સભ્ય વિજય ગોયલે દાવો કર્યો છે કે, ભાજપ દિલ્હી જીતી જશે. નોંધનીય છે કે ચૂંટણીનાં પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીતની આગાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.