ગુજરાત સરકાર અને ગુજરાત શિક્ષણ મંત્રાલય દ્વારા હાલમાં જ મોટો નિર્ણય જાહેકરી આમ અને ખાસ કરીને મધ્યમ અને નીચલા વર્ગનાં વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર આપવામાં આવ્યા હતા.
જાહેરાતની અમલાવરી તરફ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વાર આગળ વધવાનાં અણસારો સાથે શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે, આ શૈક્ષણીક વર્ષે RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરાશે. આગામી 20 એપ્રિલથી શાળાઓનું નવું સત્ર ચાલુ થશે અને 20 એપ્રિલથી નવું સત્ર શરૂ થતુ હોવાથી પ્રવેશ પ્રકિયા પણ વહેલા ચાલુ કરશે.
આપને તે પણ જણાવી દઇએ કે, આગામી માર્ચની શરૂઆતમાં RTE અંતર્ગત પ્રવેશની કાર્યવાહી શરૂ થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે. આ શૈક્ષણીક વર્ષે દરમિયાન 1.15 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. તો સાથે સાથે RTE અંતર્ગત તમામ ખાનગી સ્કૂલોમાં પણ પ્રવેશ અપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.