CBI Vs CBIનાં કથિત ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈના વિશેષ ન્યાયાધીશે બુધવારે લાંચ કેસની તપાસ માટે તપાસ એજન્સીને ખખડાવી કાઢી હતી. આ કેસમાં સીબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. કોર્ટે તપાસ અધિકારીઓને પૂછ્યું જણાવ્યું કે આ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવનારા આરોપી હજી કેમ મુક્ત છે? જ્યારે એજન્સીના નાયબ પોલીસ અધિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.
ન્યાયાધીશે કહ્યું કે તમે તેમના જ ડીએસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરીને તેની કારકિર્દી કેમ બગાડી? જ્યારે અગ્રણી ખેલાડી (સોમેશ પ્રસાદ)ની હજુ ધરપકડ નથી કરવામાં આવી.
આપને જણાવી દઈએ કે દિલ્હીની કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. સીબીઆઈની ચાર્જશીટની કલમ 12 માં સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર રાકેશ અસ્થાના અને અન્ય અધિકારી દેવેન્દ્ર કુમારના નામ નોંધાયા છે, “જેની સામે પૂરતા પુરાવા નથી.”
CBI Vs CBI(સીબીઆઈ વિ સીબીઆઈ) કેસ શું છે?
સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માને 23 ઓક્ટોબર 2018 ના મધ્યરાત્રિએ સરકારે બળજબરીથી રજા પર મોકલ્યા હતા. આ સાથે સીબીઆઈના વિશેષ નિયામક રાકેશ અસ્થાનાને પણ રજા પર મોકલી દેવાયા હતા. આ બંને અધિકારીઓ એકબીજા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા હતા. બીજા જ દિવસે વર્મા આ હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની દેખરેખ હેઠળ આ કેસમાં કોર્ટે સીવીસીની તપાસ પણ કરાવી હતી, પરંતુ તેના પર કોઈ નિર્ણય લીધો નથી. કોર્ટે કહ્યું હતું કે અમે ફક્ત તે જ જોશું કે સરકારને વર્મા પર કાર્યવાહી કરવાનો અધિકાર છે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.