કોરોના વાયરસનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકડાઉનને દેશભરમાં 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. વળી, લોકડાઉન વધાર્યા પછી, ગૃહ મંત્રાલય દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે લોકડાઉન દરમિયાન તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે. તેમજ કોઈપણ પ્રકારનાં ધાર્મિક મેળાવડા પર 3 મે સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નવા દિશાનિર્દેશો અનુસાર, 20 થી વધુ લોકોને અંતિમ સંસ્કારમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ માર્ગદર્શિકા મુજબ, ખોરાક અને દવા બનાવતા તમામ ઉદ્યોગો ખુલ્લા રહેશે. આ સાથે ગ્રામીણ ભારતમાં તમામ ફેક્ટરીઓ ખોલવાની સૂચના આપવામાં આવી છે. ખાણી-પીણીની દુકાનો, આરોગ્ય કર્મચારીઓ (ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ), સફાઇ કામદારો, મીડિયા કર્મીઓ, સુરક્ષા કર્મીઓ (પોલીસ, સુરક્ષા દળ) તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. કેટલાક રાજ્યોમાં, ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને તેમની ઉપજ સ્થાનિક મંડળોમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે, તમામ સરકારી હોસ્પિટલો અથવા ખાનગી હોસ્પિટલો, સરકારી કચેરીઓ, એલપીજી એજન્સીઓની કચેરીઓ, પેટ્રોલ પમ્પ, જથ્થાબંધ અને છૂટક મંડળીઓ, પેથોલોજી, કોરોના વાયરસની સારવાર આપતા નિદાન કેન્દ્રો તેમની સેવાઓ આપવાનું ચાલુ રાખશે.
Consolidated MHA guidelines on #CoronavirusLockdown: All religious places shall be closed for public, religious congregations are strictly prohibited until May 3. In case of funerals, congregation of more than 20 persons will not be permitted for the period.
— ANI (@ANI) April 15, 2020
તમામ પેસેન્જર ટ્રેનો, વિશેષ ટ્રેનો, પ્રીમિયમ ટ્રેનો બંધ રહેશે. ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ 3 મે સુધી બંધ રહેશે. બસ, મેટ્રો, શેર કેબ જેવા સાર્વજનિક પરિવહન પણ લોકડાઉન સમાપ્ત ન થાય ત્યાં સુધી સેવાઓ આપી શકશે નહીં. જે એસી બસો સરકાર કે રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સૂચિમાં નથી, તે પણ દોડશે નહીં. આમાં લક્ઝરી બસો શામેલ છે. જીમ, સ્વિમિંગ પુલ, મૂવી થિયેટરો, શોપિંગ મોલ્સ, મલ્ટીપ્લેક્સ, ઉદ્યાનો, બજારો જેવા તમામ જાહેર સ્થળો બંધ રહેશે. કેટલીક ફેક્ટરીઓ, કૃષિ ક્ષેત્રની કંપનીઓ, ફાર્મા ઉદ્યોગો કે જે નોન-હોટસ્પોટ વિસ્તારોમાં છે તેમને છૂટ મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.