ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ 30 નવેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી છે. ઈનકમ ટેક્સમાં ટ્રસ્ટ, એલએલપીને તમામ પ્રકારના પેડિંગ ફંડ તાત્કાલિત ધોરણે અપાશે. નવી દિલ્હી નાણામંત્રી નિર્મલા સીતારમને ટેક્સ ભરનારને પણ રાહત આપી છે. આજની મહત્વની ઘોષણાઓમાં ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખને 30 નવેમ્બર 2020 સુધી વધારવાની વાત કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે વિવાદથી વિશ્વાસ સુધી સ્કીમ અંતર્ગત જે કંપનીઓના ટેક્સ વિવાદ ચાલી રહ્યા છે તે 31 ડિસેમ્બર 2020 સુધી કોઈ વ્યાજ વિના ટેક્સ ભરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ઈનકમ ટેક્સમાં ટ્રસ્ટ, એલએલપીને તમામ પ્રકારના પેડિંગ ફંડ તાત્કાલિત ધોરણે આપવામાં આવશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.