![ગુજરાત બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં અનુભવાયા ભૂકંપનાં ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા... 3 0245aa94f71ff76da22f3dab3bf02252 4 ગુજરાત બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં અનુભવાયા ભૂકંપનાં ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા...](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/06/0245aa94f71ff76da22f3dab3bf02252-4.jpg)
જમ્મુ-કાશ્મીરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આ વખતે આ સમાચાર આતંકવાદીઓ વિશે નથી પરંતુ તીવ્ર ધરતીકંપને લઇને સામે આવી રહ્યા છે. હા, ભૂકંપનાં કારણે અહીં ફરી એકવાર આંચકા અનુભવાયા છે. સ્થાનિક સુત્રોનાં જણાવ્યા અનુસાર સોમવારે સવારે 4.36 વાગ્યે આ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. તેના રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભૂકંપથી અડધી ઉંગમાં સૂઇ રહેલા લોકોને ડરાવી દીધા, વળી તેઓ હંમેશા અહીં આતંકનો આંચકો સહન કરે છે ત્યારે ભૂકંપનાં આ આંચકાએ તેઓને કંપાવ્યા હતા. જો કે કોઈ જાન-માલનાં નુકસાનનાં કોણ સમાચાર સામે આવ્યા નથી.
આપને જણાવી દઇએ કે, ગઈકાલે રવિવારે પણ ગુજરાતમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આપને જણાવી દઈએ કે, રવિવારે રાત્રે 8.13 વાગ્યે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો. આ પછી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયુ હતું અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.