Not Set/ PMLA કોર્ટે યસ બેંકના સ્થાપક રાણા કપૂરની જામીન અરજી કરી નામંજૂર

 યસ બેંકના સ્થાપક રાણા કપૂરની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. સ્પેશિયલ પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટે કથિત મની લોન્ડરિંગ કેસમાં યસ બેંકના સ્થાપક રાણા કપૂર દ્વારા દાખલ કરેલી જામીન અરજી નામંજૂર કરી હતી. તે પહેલાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ રાણા કપૂર અને અન્ય સાથે 2,203 […]

Business
 યસ બેંકના સ્થાપક રાણા કપૂરની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. સ્પેશિયલ પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટે કથિત મની લોન્ડરિંગ કેસમાં યસ બેંકના સ્થાપક રાણા કપૂર દ્વારા દાખલ કરેલી જામીન અરજી નામંજૂર કરી હતી.

તે પહેલાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ રાણા કપૂર અને અન્ય સાથે 2,203 કરોડ રૂપિયાની સંપત્તિ જોડી હતી. આ સંદર્ભમાં અધિકારીઓએ કહ્યું હતું PMLA  હેઠળ ઇડી દ્વારા જારી કરેલા વચગાળાના હુકમ હેઠળ ડીએચએફએલના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વધવાણ બંધુઓની સંપત્તિ પણ હરાજી કરવામાં આવી હતી. આ સિવાય એજન્સીએ કપૂરની કેટલીક વિદેશી સંપત્તિ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.