કોરોનાવાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં 70,000 થી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 69 લાખને વટાવી ગઈ છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 70,496 નવા કોરોના કેસ નોંધાયા છે.
આ સાથે, દેશમાં ચેપ લાગવાની કુલ સંખ્યા 69,06,151 પર પહોંચી ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં 964 દર્દીઓનાં મૃત્યુ થયા છે. જેના કારણે કુલ 1,06,490 લોકો મૃત્યુ પામ્યા છે. જો કે રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 78,365 દર્દીઓ ઠીક પણ થયા છે, જે નવા કેસો કરતા વધારે છે. તેમ જ, સપ્ટેમ્બર પછી પહેલીવાર સક્રિય કેસની સંખ્યા 9 લાખ પર આવી ગઈ છે, હાલમાં દેશમાં કોરોનાનાં સક્રિય કેસની સંખ્યા 8,93,592 છે.
India’s #COVID19 tally crosses 69-lakh mark with a spike of 70,496 new cases & 964 deaths reported in the last 24 hours.
Total case tally stands at 69,06,152 including 8,93,592 active cases, 59,06,070 cured/discharged/migrated cases & 1,06,490 deaths: Union Health Ministry pic.twitter.com/4TlKC5qEZh
— ANI (@ANI) October 9, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.