દેશમાં કોરોનાની ગતિ ધીમી થઈ રહી હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક દિવસોથી ન માત્ર કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આ રોગચાળાને પરાજિત કરનારાઓની સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે. સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં કોરોનાનાં આંકડા જે રીતે જોવા મળ્યા તે આ બાબતમાં આશ્વાસન આપે છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયામાં દેશમાં નવા કોરોના કેસની સંખ્યા કરતાં વધુ દર્દીઓ સાજા થઈ રહ્યા છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા ત્રણ સપ્તાહથી કોરોના વાયરસથી સાજા થતાં દર્દીઓની સંખ્યા કોરોનાના નવા કેસો કરતા વધારે છે. એટલે કે, છેલ્લા ત્રણ સપ્તાહથી કોરોનાથી સંક્રમિત લોકો કરતા રોગચાળોમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધુ છે. આ સમય દરમિયાન, કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
New recoveries in India have exceeded the new cases for 3 continuous weeks, unabated. The new cases during these 3 weeks have displayed a steady trend of decline: Union Health Ministry pic.twitter.com/t6uAMVaWEj
— ANI (@ANI) October 9, 2020
જો આપણે કોરોનાના સાપ્તાહિક ડેટા પર નજર કરીએ તો, સપ્તાહમાં 18 થી 24 સપ્ટેમ્બરની વચ્ચે કોરોના વાયરસના 614265 નવા કેસ જોવા મળ્યા હતા, પરંતુ ઉપચાર લઇને સાજા થનારની સંખ્યા 649908 હતી. તે જ સમયે, 25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરના અઠવાડિયામાં, કોરોનાના 580066 નવા કેસો મળી આવ્યા હતા, જ્યાં સાજા થનારની સંખ્યા 598214 હતી. એ જ રીતે, 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબરના સપ્તાહમાં, 554503 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો, પરંતુ આ સમયગાળા દરમિયાન ફક્ત 523071 કેસ જ નોંધાયા હતા.
જો કે, 18 સપ્ટેમ્બર પહેલાના અઠવાડિયાનાં સમયગાળા દરમિયાન કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા ઓછી હતી અને નવા દર્દીઓની સંખ્યા વધુ હતી. સપ્તાહમાં 11 થી 17 સપ્ટેમ્બરની વચ્ચે 65 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા, જ્યારે પુનપ્રાપ્તિ એટલે કે સાજા થનારની સંખ્યા માત્ર 55 હજારની આસપાસ હતી. એકંદરે, કોરોના કેસોની સંખ્યામાં સપ્ટેમ્બરમાં મોટો વધારો જોવા મળ્યો છે, પરંતુ ઓક્ટોબરમાં રાહત હોવાનું નોંધવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….