વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ આજથી શરૂ થયો છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ આવી સૌ પ્રથમ તેઓ પૂર્વ મુખ્યમ્નાત્રી કેશુભાઈ પટેલના ઘરે જઈિતેઓનેા શ્રદ્ધાંજલિ આપી હતી. અને પરિવાર જનોને સાંત્વના આપી હતી. ત્યાર બાદ સ્વ.મહેશ-નરેશ ના ઘરે જઈ પરિવારજનોને સાંત્વના આપી હતી. ત્યાર બાદ પમ કેવડીયા રવાના થયા હતા. અને હાલ તેઓ કેવડીયા ખાતે પહોચ્યા છે. જ્યાં તો અનેક વિધ ભેટો આપશે, શુક્રવારે પીએમ મોદી ગુજરાત પહોચી કેવડિયામાં અનેક યોજનાઓ શરૂ કરશે. શનિવારે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તેઓ સમુદ્ર-વિમાન સેવા શરૂ કરશે. વડાપ્રધાન કેવડીયા ખાતે નીચે મુજબની યોજનાઓનું ઉદ્ઘાટન કરી શકે છે.
ahmedabd / જાણીતા બિલ્ડરને ત્યાં EDની રેડ, બિલ્ડર લોબીમાં ફફડાટ…
પીએમ મોદીએ આરોગ્ય વનનું ઉદઘાટન કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેવડિયામાં આરોગ્યા વનનો શુભારંભ કર્યો હતો. આ જંગલમાં પાંચ લાખથી વધુ દવાઓ છે. વડા પ્રધાન મોદીએ સેલ્ફી પોઇન્ટના ઉદઘાટન ઉપરાંત અહીં એક ગોલ્ફ કાર્ટમાં બેસી આખા જંગલની મુલાકાત લીધી હતી.
પીએમ મોદીએ એકતા મોલનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય વન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા મોલનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં દેશના વિવિધ ભાગો અને સંસ્કૃતિને લગતી હેન્ડલૂમ વસ્તુઓ મળી આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયાભરના લોકો આવે છે, આવી જગ્યાએ લોકોને દેશના જુદા જુદા હેન્ડલૂમ પ્રોડક્ટ્સ મળી શકશે.
એક્તા મોલ :- દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને ૩પ,૦૦૦ ચો.ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી ર૦ જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં દેશના જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલું છે.