દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) harisahitya@gmail.com
આજનું પંચાંગ
- તારીખ – તા. 14 નવેમ્બર 2020, શનિવાર
- તિથિ – આસો વદ ચૌદશ (બપોરે 2.20 પછી અમાસ)
- રાશિ – તુલા (ર,ત)
- નક્ષત્ર – સ્વાતિ
- યોગ – આયુષ્માન
- કરણ – શકુની
દિન વિશેષ –
- શુભ ચોઘડીયું – સવારે 8.17 થી 9.39
- હનુમાનજીને આકડાના પુષ્પ અર્પણ કરવા
- શ્રીફળ વધેરવું
- શનીની સાડાસાતીની પનોતીમાંથી હળવાશ પ્રાપ્ત થશે
- ઓમ્ નમો હનુમતે ભયભંજનાય સુખં કુરુ ફટ સ્વાહા
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
* મેષ (અ,લ,ઈ) –
- પરિવારમાં સુખનું આગમન થાય
- ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા વધે
- ધનલાભની શક્યતા છે
- સવારે ઉશ્કેરાટ વ્યાપી શકે છે, સાવધાન
* વૃષભ (બ,વ,ઉ) –
- સંતાન સંબંધી કાર્યો વધે
- પ્રવાસની શક્યતા છે
- પૈતૃક સંબંધોને હાનિ થઈ શકે
- કાર્યક્ષેત્રે અવઢવ રહે
* મિથુન (ક,છ,ઘ) –
- કાર્યમાં નિપુણતા આવે
- નોકરી ક્ષેત્રે ચઢાવ-ઉતાર દેખાય
- આરોગ્ય જાળવવું
- પાલતું પ્રાણીઓથી સાવધાન
* કર્ક (ડ,હ) –
- ઘરમાં ધ્યાન વધી જાય
- પરિવાર પ્રત્યે જાગરૂક થઈ જવાય
- લાભની શક્યતા વધી જાય
- શાંતિમય દિવસ પસાર થાય
* સિંહ (મ,ટ) –
- સરકારી કાર્યો થઈ શકે
- રાજકીય ક્ષેત્રે રસરૂચિ વધી જાય
- પિતાનો લાભ મળે
- વેપારમાં વધુ કુનેહ કેળવાય
* કન્યા (પ,ઠ,ણ) –
- પ્રવૃત્તિ વધી જાય
- જીવનસાથી સાથે કાર્યની સફળતા રહે
- પ્રવાસની શક્યતા છે
- પુરૂષાર્થ અને પ્રારબ્ધ બેઉનો સુમેળ છે
* તુલા (ર,ત) –
- સુખમાં ઉમેરો થાય
- વેપારમાં લાભ થઈ શકે છે
- પ્રવાસની શક્યતા છે
- શાંતિમય દિવસ વીતે
* વૃશ્ચિક (ન,ય) –
- સ્ફૂર્તિ વધી જાય
- ઉતાવળમાં કાર્ય અટવાઈ ન જાય તે જોવું
- આરોગ્ય જાળવવું
- શાંતિ જાળવવી
* ધન (ભ,ધ,ફ,ઢ) –
- લાભ પ્રબળ છે
- શત્રુપીડા ઓછી થાય
- સુમેળ વધી જાય
- તમારો સંકલ્પ પાર પડે
* મકર (ખ,જ) –
- વહીવટી શક્તિ વધી જાય
- કાર્ય કેવી રીતે સફળ થાય તે આવડત વધે
- સંતાન સાથે સુમેળ
- શેરબજારમાં સંયમથી કાર્ય કરવું
* કુંભ (ગ,શ,સ,ષ) –
- ઘરમાં નવા કાર્યો થાય
- સંપત્તિમાં ઉમેરો થાય
- બપોર પછી સુખ વર્તાય
- સવારનો સમય શાંતિથી વિતાવવો
* મિન (દ,ચ,ઝ,થ) –
- ધન પ્રાપ્તિ થાય
- રાજકીય ક્ષેત્રે સફળતા
- શત્રુપીડા ઓછી થાય
- સવારે લાભની શક્યતા વધુ છે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે હનુમાનજી અને શનિદેવની ઉપાસના કરવી.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.