ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) ની ચૂંટણીમાં ટીઆરએસ ફરી એક વખત સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યું હોવા છતાં, તેને ભારે હાલાકી ભોગવવી પડી છે. 2016 ની તુલનામાં, ભાજપે આ ચૂંટણીમાં મોટી સફળતા મેળવી છે. ભાજપ ચારથી 48 બેઠકો પર પહોંચી ગઈ છે. ગત ચૂંટણીમાં 99 બેઠકો જીતેલા ટીઆરએસએ 55 બેઠકો જીતી હતી. AIMIM એ 44 બેઠકો જીતી લીધી છે. ગત ચૂંટણીમાં પણ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ 44 બેઠકો જીતી હતી. કોંગ્રેસને માત્ર બે બેઠકો પર જીત મળી છે.
ઓવૈસીએ શું કહ્યું?
ઓવૈસીએ ચૂંટણીના પરિણામો બાદ જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “હું મારા હૃદયના ઊંડાણથી જનતા અને પાર્ટીના તમામ સભ્યોનો આભાર માનું છું.” 5 વર્ષ પહેલાં પણ 44 હતા, આ વખતે પણ આવું જ બન્યું. અમે બધાએ ટીમની જેમ કાર્ય કર્યું હતું.” હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું, ‘ચોક્કસ ભાજપને ફાયદો થયો છે અને એક મોટા પક્ષ તરીખે ઉભરી આવ્યું છે. હાલ અવામે નિર્ણય કર્યો છે, પરંતુ હૈદરાબાદના લોકો તેઓની વધતી ચાલને અટકાવશે. ”
ટીઆરએસને થયેલા મોટા નુકસાન અંગે ઓવૈસીએ કહ્યું કે, ટીઆરએસ તેલંગાણામાં એક મજબૂત રાજકીય પક્ષ છે. તે તેલંગાણાની પ્રાદેશિક ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. મને ખાતરી છે કે કે.કે. ચંદ્રશેખર રાવ આ ચૂંટણીઓમાં પાર્ટીના પ્રદર્શનની સમીક્ષા કરશે. ” તમને જણાવી દઈએ કે તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં એઆઈએમઆઈએમ અને ટીઆરએસ સાથે ચૂંટણી લડ્યા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…