કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે જ્યારે સરકાર બદલાશે ત્યારે ‘લોકતંત્રને તોડી પાડનારાઓ સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે અને એવી કાર્યવાહી કરવામાં આવશે કે કોઈને ફરીથી આવું કરવાની હિંમત નહીં થાય. આ મારી ગેરંટી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આડકતરી રીતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા.
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષ દ્વારા ચૂંટણીનો પ્રચાર શરૂ કરાયો છે. ભાજપે ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે કોંગ્રેસના મહાગઠબંધનમાં ધીમે-ધીમે તિરાડ પડી રહી છે. નીતિશ કુમારના ગયા બાદ અનેક દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસમાંથી ભાજપ તરફ પ્રયાણ કર્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે રાહુલ ગાંધીમાં નારાજગી સાથે ભાજપ પ્રત્યે રોષ જોવા મળે. હાલમાં કોંગ્રેસના મહાગઠબંધનમાં તૂટ-તૂટ થવાના આરે ઉભેલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકતંત્રને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે જ્યારે પણ સરકાર બદલાશે ત્યારે લોકતંત્રને તોડી પાડનારાઓ સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે.
એકબાજુ ચૂંટણીની શરૂઆત પહેલા જ INDIA ગઠબંધન મુશ્કેલીમાં છે. તેઓ ચાર રાજ્યોમાં ભાજપ સામે સીધી ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે જો ચારેય રાજ્યોમાં ભાજપ સામે માત્ર એક જ વિપક્ષી ઉમેદવાર ઊભો રહેશે તો તેને મોટું નુકસાન વેઠવું પડશે. આ ચાર રાજ્યોમાં 210 લોકસભા બેઠકો છે જેમાં સૌથી વધુ બેઠકો છે, જેમાં બે હિન્દી ભાષી અને બે બિન-હિન્દી ભાષી છે. જેમાંથી ભાજપે ગત વખતે 121 બેઠકો જીતી હતી, અને તેના સાથી પક્ષોએ 52 બેઠકો જીતી હતી. એકંદરે, એનડીએ 210 માંથી 173 બેઠકો જીતી, જ્યારે વિપક્ષી પાર્ટીઓએ માત્ર 36 બેઠકો જીતી. આ રાજ્યો બંગાળ, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ છે.
આ પણ વાંચો:PM Modi and Khadge/4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? પીએમ મોદી અને ખડગે ધાકધમકીનાં આરોપમાં સામસામે
આ પણ વાંચો:Foreign Minister of Ukraine/યુક્રેનના વિદેશ મંત્રી પ્રથમ વખત ભારતની મુલાકાતે
આ પણ વાંચો:Mukhtar Ansari Death/મુખ્તાર અન્સારીનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, તેમના અંતિમ સંસ્કાર પૈતૃક