Rajkot News: રાજકોટના જેતપુરમાં વીજપોલથી પટકાતા આધેડનું મોત થયું છે. નવાગઢમાં ઈલેક્ટ્રિક કામ માટે ભીમજીભાઈ રાઠોડ વીજપોલ પર ચઢ્યા હતા. ઘટનાની જાણ થતાં પીજીવીસીએલની ટીમે ઘટના સ્થળે પહોંચી વીજપ્રવાહ બંધ કર્યો છે.
રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકામાં વીજપોલથી એક આધેડનું મોત નિપજ્યું છે. નવાગઢમાં ઈલેક્ટ્રિક કામ માટે ભીમજીભાઈ રાઠોડ વીજપોલ પર ચઢ્યા હતા. જોકે, ત્યાંથી અચાનક નીચે પડી જતાં તેમનું કમકમાટીભર્યું મોત થયું છે.
આ બાબતની સ્થાનિકોને જાણ થતાં તેમણે તરત જ વીજ અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી. બાદમાં આ ઘટનાની જાણ થતાં પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી વીજપ્રવાહ બંધ કર્યો છે.
આ પણ વાંચો:ગીર સોમનાથના વેરાવળમાંથી દીપડીનું રેસ્કયું કરવામાં આવ્યું
આ પણ વાંચો:દ્વારકામાં આખલાના કારણે વૃદ્ધનું થયું મોત, સીસીટીવી આવ્યા સામે