ભારતમાં કોવિડ-19 સંક્રમણનાં 24,337 નવા કેસ આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમણ થઇ ચુકેલા લોકોની સંખ્યા વધીને 1,00,55,560 થઈ ગઈ છે, જેમાંથી 96,06,111 લાખ લોકો ઠીક થઇ ચુક્યા છે અને સંક્રમણ પછી લોકોની રિકવરી રાષ્ટ્રીય દર 95.53 ટકા રહ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, સંક્રમણને કારણે વધુ 333 લોકોનાં મોત બાદ, મૃત્યુની સંખ્યા વધીને 1,45,810 થઈ ગઈ છે. દેશમાં સંક્રમણ પછી 96,06,111 લોકો ઠીક થઇ ચુક્યા છે અને લોકોનાં ડિ-ઇન્ફેક્શનનો દર 95.53 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે આ સંક્રમણને કારણે મૃત્યુ દર 1.45 ટકા બની રહ્યો છે. મળતી માહિતી મુજબ હાલમાં દેશમાં 3,03,639 ચેપગ્રસ્ત લોકો સારવાર લઈ રહ્યા છે, જે સંક્રમણનાં કુલ કેસોનાં 3.01 ટકા છે.
farmer protests / ખેડૂતો બાદ હવે કેન્દ્ર સરકારનો પત્ર, મંત્રણા માટે આપ્યું આમં…
unique / 400વર્ષ ના ઈતિહાસમાં ઘટશે અનોખી ખગોળીય ઘટના, આવો હશે નઝારો…
Corona Virus Alert / બ્રિટનમાં કોરોનાવાયરસનો હાહાકાર, ફલાઈટ પર પ્રતિબંધ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…