સુરતમાં એક પછી એક આપઘાતના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. અહીં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાથીનીએ કોઇ કારણોસર આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
માતા પિતાની ગેરહાજરીમાં સગીરાએ આ ગંભીર પગલું ભર્યું હતું. એટલું જ નહીં સગીરાન નાના-નાના ત્રણ ભાઇ બહેનો પણ ઘરે જ હતા. જ્યારે સગીરાએ આપઘાત કર્યો. સગીરાના નાના ભાઈ બહેનો કઇ સમજે તે પહેલા સગીરાએ મોતને વહાલું કર્યું હતું. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાં 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાના ભાઈ-બહેનોને રમતા છોડી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ જ સગીરા ધોરણ 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં મોતને વહાલું કરનાર સગીરાના આપઘાત પાછળનાં કારણો જાણવા પોલીસે તેનો મોબાઇલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું હતું કે 5 વર્ષના નાના પુત્ર અને સગીરાના ભાઈએ દોડીને આવીને માતાને કહ્યું- મમ્મી, બહેન પંખા સાથે લટકી રહી છે. આ સાંભળી પત્ની તાત્કાલિક ઘરે દોડીને જોયું તો દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી. સગીરાના આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. એક અઠવાડિયા પહેલાં જ બ્યૂટિપાર્લરનું શીખવાની વાત કરતાં તેને સામાન અપાવ્યો હતો.
આ ઘટના રવિવારની સાંજે 7:30 વાગ્યાની આસપાસ બની હોવાંનું જાણવા મળી રહ્યું છે. પિતા ગેરેજ પર હતાં તેમજ રવિવાર હોવાને કારણે પત્ની ઈંડાંની લારી પર હતી. કુલ 4 સંતાનમાં સવિતા મોટી દીકરી હતી. ચારેય સંતાન ઘરમાં જ રમતાં હતાં. અચાનક સવિતાએ આવું પગલું ભરી લેતાં કંઈ સમજ પડતી નથી. હાલમાં સચિન પોલીસ તપાસ કરી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…