@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
લખતર તાલુકાના ઓળક ગામની સીમમાં સૌરાષ્ટ્ર નું પાણિયારું ગણાય તેવા લખતર તાલુકાના એશિયા ના સૌથી મોટા ઢાંકી પમપિંગ સ્ટેશન પાસે મેઈન કેનાલ આવેલી છે.
આ કેનાલની નજીક ઓળકના બલભદ્રસિંહ એલ ઝાલા પોતાના ખેતરમાં શિયાળુ પાકનું વાવેતર કરાયું હતું, જેઓ પોતાના ખેતરે આંટો મારવા ગયા હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે તેમના ખેતરમાં 8 ઢેલ અને એક તેતર મૃત હાલતમાં પડેલ હતા. આ બાબતની જાણ તેઓએ ફોરેસ્ટ વિભાગમાં કરતા લખતર ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય માદા પક્ષી ઢેલ અને એક તેતરનાં મૃતદેહનો કબજો લઈ લખતર ફોરેસ્ટ ઓફિસ ખાતે લાવીને લખતર વેટનરી ડોકટરને બોલાવી પી.એમ કરાવીને મૃત્યુનું સાચું કારણ જાણવા માટેનાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા.
Rajkot: વાંકાનેરની સિરામિક ફેકટરી setmax માંથી મળ્યો બૉમ્બ, સ્ક્વોડન…
Rajkot: મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના ગઢમાં ગાબડું, 200 કાર્યકરોનું ભા…
Nobel Cause: જીવદયા, જીવ રક્ષક : PGVCLના કર્મચારીનો અદ્દભૂત સેવા યજ્ઞ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…