@કાર્તિક વાજા, ઉના
ઊનાના કાણકબરડા ગામે રહેતા ખેડૂત પોતાની વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં ઝાડ ઉપરથી અચાનક ઝેરી મધમાખીનુ ઝુંડ ત્રાટકયુ હતું. અને ખેડૂતને ગંભીર રીતે ઇજા પહોચાડી હતી.
ઘાયલ ખેડૂતને તાત્કાલીક હોસ્પીટલે ખસેડવામાં આવ્આયો હતો. કાણકબરડા ગામે રહેતા રામસંગજી વજેસંગ રાઠોડ વાડીએ જતી વખતે ખેતર માંથી ઝાડ ઉપરથી અચાનક ઝેરી મધમાખીનું ઝુંડ રામસંગજી પર હુમલો કર્યો હતો. અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. આજુબાજુના વાડી વિસ્તારના લોકોને જાણ થતાં તાત્કાલીક હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. અને જ્યાં તેમને ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી હતી. આમ ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી મધમાધીના ત્રાસથી લોકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અને હજુ પણ અન્ય લોકોને ધાયલ ન કરે જેથી આ ઝેરી મધમાખીને દૂર કરવા માંગણી ઉઠી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
